આમ આદમી પાર્ટી માંડલ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું
આપના નેતા વિજયભાઈ સુંવાળા સહીતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી માંડલ જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આપના નેતા વિજયભાઈ સુંવાળા, શિવકુમાર ઉપાધ્યક્ષ પ્રભારી અમદાવાદ જિલ્લા, ગીરીશભાઈ રાવલ પ્રમુખ અમદાવાદ જિલ્લા, માંડલ તાલુકા પ્રમુખ મિતેશભાઈ ઠક્કર, મહામંત્રી ભરતભાઈ પટેલ, ઓબીસી પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, તથા માંડલ સંગઠન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જન સંપર્ક કાર્યાલય વિવિધ તાલુકાઓમાં ખોલવામાં આવી રહ્યા છે.( તસવીર : જગદીશ રાવળ (ટ્રેન્ટ)