News of Saturday, 17th July 2021
ઉમરગામ અપહરણ કેસમાં પોલીસ વિભાગની યશસ્વી કામગીરી બદલ
મળેલા ઇનામની ૫૦ ટકા રકમનો ચેક મુખ્યમંત્રી રિલીફ ફંડ માટે અર્પણ કરાયો
(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : અધિક પોલીસ મહા નિદેશક સુરત એસ.પી.રાજકુમારના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના ઉમરગામ અપહરણ કેસમાં કરવામાં આવેલી યશસ્વી કામગીરી બદલ રાજ્ય સરકારે રેન્જની ટીમને આપેલા રૂા.૧૦ લાખના ઈનામની રાશિની ૫૦ ટકા રકમ રૂા.૫.૧૦ લાખની રકમનો ચેક મુખ્યમંત્રી રિલીફ ફંડ માટે રાજયકક્ષાના ગૃહ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાને અધિક પોલીસ મહા નિદેશક એસ.પી.રાજકુમાર અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ અર્પણ કર્યો હતો. આ અવસરે સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા
(8:31 pm IST)