ગુજરાત
News of Friday, 17th September 2021

રાજપીપલામાં રણછોડજી મંદીરે ભાગવત સપ્તાહનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપલાના પ્રસિદ્ધ રણછોડજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ થતા ચાતુર્માસમાં કથાનું રસપાન કરવા ભાવિક ભક્તોની ભીડ જામે છે.

રણછોડજી મંદિરે ચાતુર્માસ માં ભાગવત સપ્તાહનો પ્રારંભ થતા ભાવિક ભક્તો રોજેરોજ કથાનો ધાર્મિક આનંદ માણી રહ્યા છે વ્યાસપીઠ પરથી વડોદરાના કથાકાર શાસ્ત્રીજી સનત કુમાર પંડ્યા શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે જેઓ ભાગવત સપ્તાહ દરમ્યાન કૃષ્ણજન્મ. ગોવર્ધન લીલા , રુક્મણી વિવાહ., સુદામા ચરિત્ર જેવા પ્રસંગોનું રસપાન કરાવશે.

(10:22 pm IST)