ગુજરાત
News of Friday, 17th September 2021

કલોલના પલસાણામાં અગમ્ય કારણોસર બે પુત્રી સાથે યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

કલોલ: એક મહિના અગાઉ પત્નીએ ઝેરી દવા પી ને લઈને આપઘાત કરી લીધો હતો અને પત્નિ વગર પોતે જીવી નહિ શકે તેમ લાગી આવતા યુવાને પોતાની બે નાની પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી આજરોજ બપોરના સુમારે ત્રણેયના મૃતદેહ મળી આવતા ભારે કરુણાંતિકા  ભર્યા દ્રશ્યો સર્જાયા હતા બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે

અંગે મળતી માહિતી અનુસાર કલોલના પલસાણા ગામે રહેતા યુવાને આજરોજ સવારે પોતાની બે પુત્રીઓ ને સાથે લઈને ઝેરોક્ષ કરાવવા નીકળ્યો હતો ત્યારબાદ યુવાને બંને પુત્રીઓને સાથે લઈને રામનગરની કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી  યુવકની પત્નિ મનિષાએ આજથી એક મહિના અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી અને પત્નિનો વિયોગ સહન ના થતા યુવાને પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું હતું મરણ જનાર યુવક આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી ને ગયો છે જેમાં જણાવ્યા પ્રમાણે પોતાની પત્નિ મરી જતા તે રોજ રોજ મરી રહ્યો હતો અને પત્નિ વગર જીવવું અશક્ય લાગતું હોય તો તેને બંને પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હતી બનાવના સ્થળે દોડી ગયેલી પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ ચલાવી છેભાવેશ ની પત્ની મનીષાએ એક મહિના અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીી હતી ત્યારે યુવાને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે તે મનીષા વગર જીવી શકતો નથી અને રોજ રોજ મરી રહ્યો છે અને પોતાના ગયા બાદ પોતાની પુત્રીઓ પણ કોઈના ઉપર બોજ ના બને તે માટે પુત્રીઓને પણ સાથે લઈ જવું છું તેમ જણાવ્યું છે

(6:16 pm IST)