નવા વાડજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
વૃશાલી દાતાર દ્વારા બાળકોને ઘરે બનાવી પાણીપુરી ખવડાવવામાં આવી : 71 દીવાની ભગવાન શ્રી રામચંદ્રજી ને આરતી કરવામાં આવી અને હલવાના કેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના કારોબારી સદસ્ય અને બોપલ ઘુમા નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર વૃશાલી દાતાર દ્વારા અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રામદેવપીર ટેકરા નવા વાડજ અમદાવાદ ખાતે 200 બાળકો સહીત 250 લોકોને ઘરે બનાવેલી પાણીપુરી ખવડાવવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે 71 દીવાની ભગવાન શ્રી રામચંદ્રજી ને આરતી કરવામાં આવી અને હલવાના કેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદના કરકે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.