પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોટાદ ખાતે યોજાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે
રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરાશે. ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
ક્રમ |
મંત્રીશ્રીઓના નામ |
જિલ્લો |
કેબિનેટ મંત્રીશ્રીઓ |
||
|
શ્રી કનુભાઈ દેસાઈ |
સુરત |
|
શ્રી ઋષિકેશ પટેલ |
અમદાવાદ |
|
શ્રી રાઘવજીભાઈ પટેલ |
જૂનાગઢ |
|
શ્રી બળવંતસિંહ રાજપૂત |
બનાસકાંઠા |
|
શ્રી કુંવરજીભાઈ બાવળિયા |
ગાંધીનગર |
|
શ્રી મુળુભાઈ બેરા |
જામનગર |
|
ડૉ. કુબેરભાઈ ડીંડોર |
દાહોદ |
|
શ્રીમતી ભાનુબેન બાબરિયા |
ભાવનગર |
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ |
||
|
શ્રી હર્ષ સંઘવી |
વડોદરા |
|
શ્રી જગદીશ વિશ્વકર્મા |
મહેસાણા |
|
શ્રી પરશોત્તમભાઈ સોલંકી |
અમરેલી |
|
શ્રી બચુભાઈ ખાબડ |
ખેડા |
|
શ્રી મુકેશભાઈ પટેલ |
વલસાડ |
|
શ્રી પ્રફુલ પાનશેરીયા |
કચ્છ |
|
શ્રી ભીખુસિંહજી પરમાર |
સાબરકાંઠા |
|
શ્રી કુંવરજીભાઈ હળપતિ |
ભરૂચ |
આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.