News of Wednesday, 18th January 2023
રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવા 2 કેસ પોઝિટિવ નોંધાયા :વધુ 1 દર્દી સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.563 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 30.117 લોકોનું રસીકરણ કરાયું
રાજયમાં હાલમાં 17 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે વધુ એક દર્દી સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,563 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 30.117 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,79.38.058 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 17 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી,જયારે 17 દર્દીઓ સ્ટેબલ છે. .
રાજ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે જેમાં વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે
(8:10 pm IST)