ગુજરાત
News of Wednesday, 18th May 2022

૧૬ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીઃ અમરેલીના એમ. બી. નકુમ ફરી રાજકોટમાં મુકાયા

તાલુકાના પીઆઇ વી. વી. વાગડીયાની સુરત ખાતે બદલીઃ જામનગરના આર. બી. ગઢવીને જુનાગઢ, મોરબીના વી. એલ. પટેલને સુરત મુકાયા

રાજકોટ તા. ૧૮: રાજ્‍યના વધુ ૧૬ બિન હથીયારધારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીનો હુકમ કરવામાં આવ્‍યો છે. જેમાં રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇની પણ બદલી થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં થોડા સમય પહેલા જ નિમણુંક પામેલા પીઆઇ વી. વી. વાગડીયાની સુરત શહેર ખાતે બદલીનો હુકમ નીકળ્‍યો છે. જ્‍યારે અમરેલી ફરજ બજાવતાં પીઆઇ એમ. બી. નકુમની રાજકોટ શહેર ખાતે બદલી થઇ છે. અગાઉ પીઆઇ એમ. બી. નકુમે રાજકોટ પ્ર.નગર, ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી છે.

જામનગરના પીઆઇ આર. બી. ગઢવીને જુનાગઢ મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે મોરબીના વી. એલ. પટેલની બદલી સુરત શહેર ખાતે થઇ છે. અમરેલીના એન. કે. ગોસ્‍વામીની બદલી ગીર સોમનાથ ખાતે કરવામાં આવી છે.

(11:41 am IST)