સુરતના નાનપુરા-ખંડેરાવપુરામાં બાઈકની ટક્કરની બાબતમાં થયેલ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા પોલીસ ફરિયાદ
સુરત: સુરતના નાનપુરા-ખંડેરાવપુરામાં ગત મોડી રાતે બાઇકની ટક્કર લાગવાના સામાન્ય બાબતના ઝઘડામાં બે જૂથ સામ-સામે આવી જતા પથ્થર મારો અને બોટલો ફેંકતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે ઘટનાની જાણ થતા દોડી ગયેલી પોલીસે મામલો થાળે પાડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સુરતના નાનપુરા-ખંડેરાવપુરામાં ગત મોડી રાતે બાઇકની ટક્કર લાગવાના મુદ્દે બંનેના ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. નજીવી બાબતે થયેલો ઝઘડામાં જોતજોતામાં બંને પક્ષે ટોળા એક્ત્ર થઇ ગયા હતા. ટોળાએ એકબીજાને સામ-સામે ગાળાગાળી કરવાની સાથે પથ્થર મોરો અને કાચની બોટલો ફેંકતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. જેને પગલે સ્થાનિક વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતા અઠવાલાઇન્સ પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે તુરંત જ ટોળાને વિખેરી નાંખ્યું હતું અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.