સમારીયા ચોકડી પાસે બે મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સમારીયા ચોકડી પાસે થેયેલા અકસ્માતમાં ભાઇને જઇ રહેલા બે શખ્સોના મોત નિપજતા રાજપીપળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે
પ્રાપ્ત માહિતી મુજબ શનીબેન અશ્વિનભાઇ તડવી (રહે , કુલવાડી નિચલું ફળીયુ) નાએ આપેલી ફરીયાદ અનુસાર તા.16 સપ્ટેમ્બરે અનિલભાઇ અશ્વિનભાઇ તડવી તથા કિરણભાઇ અમરતભાઇ તડવી બન્ને રહે , કુલવાડી બપોરના આશરે દોઢ - પોણા બે વાગ્યાના અરસામાં આ ભરતભાઇ અશ્વિનભાઇ તડવીની મો.સા.નં GJ - 22 - E - 4069 લઈને રાજપીપલા જવા માટે નીકળેલ હતા તે વખતે સમારીયા ચોકડી પાસે એક હિરો મેસ્ટ્રો નં . GJ - 22-1-9987 સાથે એકસીડન્ટ થતા પ્રાથમિક સારવાર ગરૂડેશ્વર ખાતે લઈ ગયેલ અને કિરણભાઇને માથાના ભાગે ગંભીર થયેલ છે.અને મરણ જનારને માથાના ભાગે તથા શરીરે ઓછી - વત્તી ઇજાઓ થતા વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પિટલ મા રીફર કરેલ ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ. જી.હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ ત્યાંથી વધુ આગળ રીફર કરતા મરણ જનાર ને વધુ સારવાર માટે તેમના સંગા બોડેલી ખાતે સંગમ હોસ્પિટલમા તા .૧૬ / ૦૯ / ૨૦૨૧ ના રોજ લાવેલ જે અનિલભાઇ અશ્વિનભાઇ તડવીનું સારવાર દરમ્યાન મોત થયું હોય રાજપીપળા પોલીસે હિરો મેસ્ટ્રો ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે