ગુજરાત
News of Sunday, 18th October 2020

આઇ.એસ.માં બઢતી મેળવનાર ડી.ડી. જાડેજા અને રાજેશ તન્ના સહિતના એક ડઝન એડી. કલેકટરોને કેન્દ્રને મુળ જગ્યાએ પોસ્ટીંગ આપ્યું.

રાજકોટ : ગુજરાતના એડીશનલ કલેકટર ડી.ડી. જાડેજા તથા આર. એમ. તન્ના સહિત એક ડઝન જેટલા એડી. કલકેટર કક્ષાના અધિકારીઓને જી.એ.એસ. કેડરમંથી આઇ.એ.એસ. કેડરમાં નોમીનેટ કર્યા બાદ કેન્દ્ર દ્વારા ઉપરોકત અધિકારીઓને તેઓની મુળ જગ્યાએ પોસ્ટીંગ આવતો હુકમ કરવામાં આવ્યો છે.

મોરબીના ડી.આર.ડી. એજન્સીના ડી.ડી.જાડેજા, પોરબંદરના આર.ડી.સી. રજેશ એમ. તન્ના, ''વુડા'' ના સીઇઓ એ.બી. પટેલ, પબ્લીક સર્વિસ કમિશનના પી.આર. જોષી, ખેડાના આર.ડી.સી. રમેશભાઇ મેરજા, ડી.આર.ડી. મહેસાણાના એમ. કે. દવે, મેરીટાઇમ બોર્ડના ઓ.એસ.બી. પી.ડી. પલસાણ, ડાયરેકટર, ટેકનીકલ એજયુ.ના એ.બી. રાઠોડ (જીટીયુ) વિધાનસભાના સ્પીકરના અંગત મદદનીશ એન. એન. દવે, રીજીયોનલ મ્યુનિ. કમીશનર ઓફિસ વડોદરાના એડી. કલકેટર વી.એન. શાહ, ફૂડ અને સીવીલ સપ્લાયના સેક્રેટરી એસ.કે. પ્રજાપતિને મુળ જગ્યાએ યથાવત ચાલુ રાખેલ છે. જયારે આઇ.એસ.તરીકે બઢતી મેળવનાર કે.સી. સંપટનો હુકમ અલગથી કરવામાં આવશે.

(9:24 pm IST)