ગુજરાત
News of Sunday, 18th October 2020

વાવઝોડા અને વરસાદના લીધે ખેડૂતોના પાક.ને ભારે નુકસાન

ખેડુતોએ તૈયાર કરેલો પાક ભીનો થયો : વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે શામળાજી પંથકમાં વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો

અરવલ્લી ,તા.૧૮ : અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર, મેઘરજ, મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી બાદ અરવલ્લી જીલ્લામાં ગત મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં ગાજીવીજ અને વાવાજોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વિસ્તારમાં મગફળી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું છે જેના પગલે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ચાલુ ખરીફ સીજનમાં કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે. જે પૈકી ભિલોડા તાલુકામાં ૭૧૫૫ હેકટર જમીનમાં મગફળી , ૧૦૪૩૪ હેકટરમાં મકાઈ , ૪૨૩ હેકટરમાં કપાસ, અડદ સહીતના પાકોનું વાવેતર કર્યું હતુ. ત્યારે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતાં પાક ઘાસચારામાં પણ કામ લાગે તેવો રહ્યો નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ચાલુ ખરીફ સીજનમાં કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે.

           જે પૈકી ભિલોડા તાલુકામાં ૭૧૫૫ હેકટર જમીનમાં મગફળી , ૧૦૪૩૪ હેકટરમાં મકાઈ , ૪૨૩ હેકટરમાં કપાસ, અડદ સહીતના પાકોનું વાવેતર કર્યું હતુ. ત્યારે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતાં પાક ઘાસચારામાં પણ કામ લાગે તેવો રહ્યો નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરી રહ્યા છે. વાવાઝોડા સાથે આવેલા પાછોતરા વરસાદને કારણે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા શામળાજી પંથકમાં વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ગત મોડી રાત્રી દરમિયાન વાતાવરણમાં આવેલા પલટા બાદ શામળાજી પંથકના વેણપુર, શામળપુર, ખારી, ખેરંચા, રંગપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેડૂતોએ પોતાના ખેતરોમાં સુકાવવા મુકેલો તૈયાર પાક મગફળી, મકાઈ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે.

(7:27 pm IST)