ગુજરાત
News of Thursday, 18th November 2021

મહેમદાવાદના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં શીશ ઝૂકાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ : મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના નાગરિકોના સર્વાંગી કલ્યાણની શ્રી ગણેશજી સમક્ષ પ્રાર્થના કરી

રાજકોટ:::આત્મ નિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવા માટે મહેમદાવાદની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભગવાન શ્રી ગણેશજીના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા. અહીં તેમણે ભગવાન સમક્ષ શીશ ઝૂકાવી સમગ્ર ગુજરાતના નાગરિકોના સર્વાંગી કલ્યાણની પ્રાર્થના કરી હતી. મંદિરના વ્યવસ્થાપકોએ મંદિર અંગે ટૂંકી માહિતી આપી  મંદિરની વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિથી મુખ્યમંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ સહિતના આગેવાનો જોડાયા હતા.

(11:45 am IST)