વાદળી તાલુકાના મોરડ ગામે પશુઓના તબેલા નજીક વીજલાઇનમાં તણખા જરતા બે લાખ રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ
વડાલી:તાલુકાના મોરડ ગામમાં રહેતા રામજીભાઈ વસ્તાભાઈ પટેલનો ગામોથી પસાર થતા કુબાધરોલ માર્ગ પર પશુઓનો તબેલો આવેલો છે.આ તબેલા નજીક પશુઓના ઘાસચારા માટે મગફળી અને સોયાબીનનુ ગોતું તેમજ હુસેલના ૨૫ ટ્રેકટર ઘાસચારો રાખવામાં આવ્યો હતો.જે તબેલા નજીકથી પસાર થતી વિજલાઈનમાંથી બુધવારે બપોરે એકાએક વિજતણખા ઝરતા તે ઘાસચારામાં પડતા આગ લાગી હતી.જેથી ધુમાડાના ગોટ ગોટા નીકળતા ગ્રામજનો તેમજ તેના માલિક અને પરિવારજનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવા લાગ્યા હતા પરંતુ આગપર કાબુ મેળવી ન શકતા વડાલી નગરપાલિકામાંથી ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું.જેઓ તેમજ ગ્રામજનોએ પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ તેટલામાં તમામ ઘાસચારો બળીને ખાખ થઈ જતા પાશુપાલક અને ખેડુત પરિવારે બે લાખનું નુકસાન વેઠવાનો વારો આવતા આભ તૂટી પડયું હતું.