ગુજરાત
News of Friday, 18th November 2022

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દુબઇ કે ન્યુયોર્કમાં પરિવારની એક કચેરી શરુ કરવા વિચારી રહ્યા હોવાના અહેવાલ પાયાવિહોણા

 અદાણી કે તેમના પરિવારની દરિયાપારના દેશમાં કચેરી ખોલવાની યોજના છે અથવા ના તો કોઇ સાથે વાતચીત ચાલી રહી છે. આ વાત સત્યથી વેગળી

અમદાવાદ : અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દુબઇ કે ન્યુયોર્કમાં પરિવારની એક કચેરી શરુ કરવા વિચારી રહ્યાનો બ્લુમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હોવાના સમાચારોથી અમે વાકેફ છીએ. આ દાવો તથ્યહિન છે. ના તો અદાણી કે ના તેમના પરિવારની દરિયાપારના દેશમાં કચેરી ખોલવાની યોજના છે અથવા ના તો કોઇ સાથે વાતચીત ચાલી રહી છે. આ વાત સત્યથી વેગળી છે. એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે કે બ્લુમબર્ગના પાયાવિહિન અહેવાલે પ્રચાર માધ્યમોમાં બિનજરુરી અને નિવારવા યોગ્ય ધારણાઓને મોટુ સ્વરુપ આપીને ચગાવી છે એમ અદાણી ગૃપના પ્રવક્તાએ જણાવ્યું છે

(8:15 pm IST)