રાજપીપળા ખાતે ચૂંટણીલક્ષી આચારસંહિતાના અમલ સંદર્ભે ફરિયાદ માટે રાઉન્ડ-ધી-ક્લોક હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત,પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રાજપીપલા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે જિલ્લાકક્ષાએ કાર્યરત કરાયેલ રાઉન્ડ- ધી-ક્લોક હેલ્પલાઇન અને ચૂંટણી કંટ્રોલરૂમ નં ૦૨૬૪૦- ૨૨૪૦૦૧ તેમજ Email- dso-ddo- nar@gujarat. gov.in ઉપર સંપર્ક સાધીને ચૂંટણીલક્ષી આચારસંહિતા ના અમલને લગતી ફરિયાદ કરી શકાશે. અને તેના આધારે તેના નિકાલની કાર્યવાહીની માહિતી પણ આ કંટ્રોલરૂમ દ્વારા અપાશે
. આ કંટ્રોલ રૂમની કામગીરી માટેના નોડલ અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા આંકડા અધિકારી એ.જે.વસાણીયાનો મોબાઇલ નંબર- ૯૪૨૮૭૧૮૨૨૫ છે. જેની જાહેર નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર,નર્મદા તરફથી જણાવાયું છે.