News of Thursday, 20th January 2022
નર્મદામાં કોરોના વિસ્ફોટ : જિલ્લામાં બુધવારે ૮૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૮૪ પોઝિટિવ કેસ નોંધાયા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૨૧ દર્દી દાખલ છે. આજે વધુ ૧૧૨૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(10:41 pm IST)