સુરતના પાંડેસરામાં ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાના કારણોસર આગ ભભુકતા યુવકનું ઘટનાસ્થળેજ મોત
સુરત: શહેરના પાંડેસરાના એક મકાનમાં આજે સવારે ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં લીકેજ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જોકે આગ સામાન્ય હતી પરંતુ ઓલાવતી વખતે એક યુવક દાઝી ગયો હતો જ્યારે ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે દક્ષેશ્વર મંદિર પાસે આવેલ ક્રિષ્ણા નગરમાં ભાડુઆત તરીકે રહેતો 38 વર્ષીય દુઃખી શ્યામ પાણીગ્રહી આજે સવારે 9 વાગ્યે અચાનક ગેસ સિલિંડરના રેગ્યુલેટરમાંથી ગેસ લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી પણ આગ સામાન્ય હતી.
આ અંગે સ્થાનિકોમાં જાણ થતા ભય અને અફડાતફડી મચી ગઈ હતી. જોકે દુઃખી પાણિગ્રહી સામાન્ય આગ ઓલાવવાનાં પ્રયાસ કરતા તે ખભા અને હાથના ભાગે આગની જાળ લાગતા દાઝી ગયો હતો. જેથી લોકો એકદમ ગભરાઈ ગયા હતા.