ગુજરાત
News of Tuesday, 20th April 2021

કોરોના ટેસ્ટના ઘટાડેલા ભાવ અમલીઃ પરિપત્ર પ્રસિધ્ધ

RTPCRના ૮૦૦ના બદલે ૭૦૦ સુધી છુટ

રાજકોટ તા. ર૦: રાજય સરકારે કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ભાવમાં ઘટાડો જાહેર કરેલ તેનો અમલ શરૂ કરી દીધો છે. આજે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. દિનકર રાવલે તમામ ખાનગી લેબોરેટરીઓ જોગ પ્રસિધ્ધ કરેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ દર્દી લેબમાં જઇ સેમ્પલ આપે તો મહતમ રૂ. ૭૦૦ અને દર્દીના ઘરે કે અન્ય હોસ્પિટલમાં જઇને સેમ્પલ લેવાનું હોય તો વધુમાં વધુ રૂ. ૯૦૦ ચાર્જ લઇ શકાશે.

(4:10 pm IST)