આણંદ નજીક કરમસદ-વિદ્યાનગર રોડ પર પુરપાટ ઝડપે જતી બાઈક સ્લીપ થઇ જતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત
આણંદ:નજીક આવેલા કરમસદ-વિદ્યાનગર રોડ પર આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતું એક બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલકનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ંંંધરી છે.
મળતી વિગતો અનુસાર વલાસણ ગામે રહેતો ચિરાગ હરીશભાઈ સોલંકી (ઉ. વ. ૨૦)આજે બપોરના સુમારે પોતાનું એફઝેડ બાઈક નંબર જીજે-૨૩, બીબી-૮૦૧૬નું લઈને વિદ્યાનગર કામ અર્થે આવ્યો હતો. કામ પતાવીને તે બાઈક પર પરત ઘર તરફ જઈ રહ્યો હતો. દરમ્યાન કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા રેમ્બો મકાન સામે બાઈક સ્લીપ ખાઈ ગયું હતુ. જેથી ચિરાગ સોલંકી રોડ ઉપર પટકાતા માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં આજુબાજુના રહીશો અને રાહદારીઓ તેમજ વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા. જો કે માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.