વડોદરાના નાગરવાડા નવીધરતી વિસ્તારમા અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ મોતનેવહાલુ કરતા અરેરાટી મચી જવા પામી
વડોદરા:નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રહેતા યુવાને ત્રણ દિવસ પહેલા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.ઘરમાં તેની લાશ ત્રણ દિવસ સુધી લટકતી જ રહી હતી.ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરવાડા નવીધરતી સાંઇનાથ ચોકમાં રહેતો જીતેશ હસમુખભાઇ મોરિયાતર રિક્ષા ડ્રાયવિંગ કરે છે.ગત અઠવાડિયે તેની પત્ની અને બાળકો પિયર ગયા હતા.જીતેશ ઘરે એકલો હતો.દરમિયાન,આજે સવારે પાડોશીને તેના ઘરમાંથી દુર્ગંધ આવતા તેણે પોલીસને જાણ કરી હતી.કારેલીબાગ પોલીસ સ્ટેશનના હે.કો.હરગોવિંદભાઇએ સ્થળ પર જઇને તપાસ કરતા જીતેશની લાશ લટકતી હતી.લાશ નીચે ઉતારીને પી.એમ.માટે મોકલી આપવામાં આવી હતી.જીતેશે કયા કારણસર આપઘાત કર્યો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી મળી નથી.પોલીસનું પ્રાથમિક તારણ છે કે,જીતેશે ત્રણ દિવસ પહેલા તેણે આપઘાત કરી લીધો હશે.