મોંઘવારીનો માર, પ્રજા બેહાલ, બેફિકર છે સરકાર.... કોંગ્રેસની જન ચેતના રેલી
અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થભાઈ પટેલ સિહતના નેતાઓએ સાયકલ ચલાવી વિરોધ નોંધાવ્યો
રાજકોટઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી હતી. જેમાં દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, ઈમરાન ખેડાવાલા, ગાયત્રીબા વાઘેલા, પરેશ ધાનાણી, મધુસુદનભાઈ, નરેશભાઈ, ચેતન રાવલ, ઘનશ્યામ ગઢવી, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીમાં ભાજપ શાસનમાં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોઘું તેલ- મોંઘો ગેસ, મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, સિલિંડર મોંઘુ મોંઘુ તેલ જોવો આ છે મોદીનો ખેલ, મોંઘા કર્યા પેટ્રોલ- ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ જેવા પોસ્ટર સાથે સાઈકલ તથા ચાલતા રાજીવ ગાંધી ભવનથી આશ્રમ રોડ થઈ સરદાર બાગની પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીને પુષ્પાજંલિ આપી રેલીનું સમાપન કરવામાં આવેલ.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)