ગુજરાત
News of Friday, 19th August 2022

ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા હડકંપ

ગઢડા બીએપીએસ મંદિરમાંથી વહેલી સવારે પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે

બોટાદ ગઢ઼઼ડા બીએપીએસ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. શંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપ સિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે  સેવા કરતા હતા.  વહેલી સવારે જ મંદિરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના બનતા ભક્તો તથા મંદિર પ્રશાસનમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓએ આપઘાત કર્યો કે પછી કોઇ દ્વારા હત્યા કરવામાં આવી આ તમામ બાબતને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે આજે તહેવાર હોવાથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુઃખદ ઘટનાને પગલે તેઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. હાલ બોટાદ ગઢડા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મંદિર ઘટના સ્થળે પહોંચ્યો છે.

 

(12:58 pm IST)