જેસલપુર ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં ખેડૂતોએ ભાગ લીધો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપુર ગામમાં ગુજરાત ઇકોલોજી કમીશન,ગાંધીનગર અને “આત્મા” રાજપીપલાના સહયોગથી એંન્વાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ જેનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ગામના મુખ્ય આગેવાન દત્તુભાઈ ડાહ્યાભાઈ બારીયાની ઉપસ્થિતીમાં જેસલપુર ખાતે આ તાલીમ શિબિર યોજાઈ જેમાં ગામના સરપંચ હરેશભાઈ ચતુરભાઈ વસાવા સહિત આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા .
આ શિબિરમાં વિસ્તૃત માહિતી માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી, તાલીમ કાર્યક્રમ દ્વારા પ્રોત્સાહિત થયેલા કેટલાક ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરવા માટે સહમતિ આપતા,યાદી કરીને મંડળી બનાવવામાં આવી હતી. ગામે ગામ આવા પ્રકારની તાલીમથી રસરભર માહિતી મેળવીને કુટુંબનાં ગામના શહેરનાં અને રાષ્ટ્રનાં હિતમાં પર્યાવરણની સુરક્ષા માટે ખેડુતો ચોક્કસ પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થયા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરજભાઇ તડવી, રણછોડભાઇ, વગેરેએ સારો સહકાર આપ્યો હતો