ગુજરાત
News of Friday, 19th August 2022

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાનો દ્વારા મટકી ફોડ તથા ગરબા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા જિલ્લા જેલના અધિક્ષક આર.બી.મકવાણાની રાહબરી હેઠળ હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ વદ આઠમએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ દિવસ (જનમાષ્ટમી) નિમિત્તે રાજપીપલા જિલ્લા જેલના બંદીવાનો દ્વારા ભગવાન કૃષ્ણના ગીતો ગાઈને ગરબા ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બંદીવાનો દ્વારા રાજપીપલા જિલ્લા જેલ ખાતે મટકી ફોડ કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો જેમાં બંદીવાનો એ ખૂબ હર્ષો ઉલ્લાસથી ભાગ લેતા રાજપીપલા જિલ્લા જેલમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ રાખવા બદલ રાજપીપલા જિલ્લા જેલના તમામ બંદીવાનો દ્વારા અધિક્ષક આર બી.મકવાણાનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(10:28 pm IST)