ગુજરાત
News of Friday, 19th August 2022

ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે અંતે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરાયા

હાલ 10 દરવાજા 1.5 મીટર ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છેહાલ 10 દરવાજા 1.5 મીટર ખોલી તેમાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ,જ્યારે કે રિવરબેડ પાવર હાઉસના 6 યુનિટ ચાલુ કરી તેમાંથી 44 હજાર ક્યુસેક અને કેનાલમાં 18 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે એટલે કે કુલ 1 લાખ 62 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

(11:39 pm IST)