નર્મદામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ19 ન્યાય યાત્રા હેઠળ ૦૪ લાખની સહાયના ફોર્મ ભરવાની કામગીરી પુરજોશમાં
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ તરફથી હાલ કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેવા લોકોના સ્વજનો માટે કોવિડ19 ન્યાય યાત્રા શરૂ કરી છે,જેમાં દુઃખી પરિવારને 4 લાખ ની સહાય મળે તે માટે કૉંગ્રેસ સમિતિ ઘરે ઘરે જઈને ફોર્મ ભરી સરકાર પાસે માંગણી કરી રહી છે હાલ સરકાર વિવિધ પ્રકાર ના તાયફા તથા ઉજવણી માં મસ્ત છે ત્યારે કૉંગ્રેસ દ્વારા કોરોના માં દુઃખી પરિવાર છે તેમા સહભાગી થઈ તેમને સાંત્વના પાઠવી તેમને 4 લાખ ની સહાય માટે ફોર્મ ભરી રહી છે
જેમાં હાલમાં નર્મદા જિલ્લા માં પણ આ કામગીરી ચાલુ હોવાથી ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા ની ઉપસ્થિતિ માં નર્મદા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ તથા ગરડેશ્વર આગેવાન હરેશભાઈ તડવી તથા રણજિતભાઈ તડવી તથા રાજુભાઈ તડવી, યુથ કૉંગ્રેસ વિધાનસભા પ્રમુખ અજય વસાવા તથા યુથ ઉપપ્રમુખ રાહુલભાઈ તડવી તથા કૉંગ્રેસ ના પાયા ના કાર્યકરો સાથે સમારીયા તથા જુનવદ ગામે આવા દુઃખી પરિવારો ને મળી તેમના સહાય માટે ના ફોર્મ ભર્યા હતા