ગુજરાત
News of Wednesday, 20th October 2021

સામાન્‍ય સ્‍થિતિ છતાં પુત્રને સંઘર્ષ કરી આઈપીએસ અધિકારી બનાવેલા

અમદાવાદના જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય ચૌધરીના માતુશ્રીનું દુઃખદ નિધન

ગોતા ખાતે અંતિમવિધિ : પોલીસ અધિકારીઓ, સ્‍ટાફ અને વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્‍યામા અંતિમ વિદાય આપવા જોડાયા

 રાજકોટ તા.૨૦,  અમદાવાદ શહેર પોલીસ તંત્રના જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના માતુશ્રી અન્નપૂર્ણા દેવીજી જે ગુજરાતના જાણીતા વિડિયો સિંગર દીપ શિખાજીના સાસુ અને સર્કલ એપના ચીફ એક્‍ઝ્‍યિુટિવ ઓફિસર કાવ્‍યા ચૌધરી અને મુસ્‍કાનના દાદીજીનું  તા.૧૯ના રોજ નિધન થયેલ છે.              
આજે સવારે સ્‍વર્ગસ્‍થ અન્નપૂર્ણા દેવિજીની અંતિમ યાત્રામાં મોટી સંખ્‍યામાં પોલીસ અધિકારીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો અને રાજકોટથી જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્‍યામ મિશ્રાજી પરિવાર વિગરે સામેલ થયેલ. ગોતા ખાતે તેમનો દેહ વિલીન થયેલ.  અન્નપૂર્ણા દેવી શીતલ પ્રસાદ દ્વારા પોતાના સંતાનો અને ખાસ કરી અજય કુમાર ચૌધરીને ખૂબ જ સંઘર્ષ કરી ભણાવી અને આઇપીએસ અધિકારી સાથે ખૂબ સારા માનવી બન્ને તેવા સંસ્‍કારોનું સિંચન કરેલ. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર ગુજરાતમાંથી અકિલા ના સિનિયર પત્રકાર જગદીશભાઈ ગણાત્રા અને  મહિલા મિલન ક્‍લબના રીટાબેન કોટક , જીતુભાઈ ગોટેચા વિગેરે દ્વારા પણ શ્રધ્‍ધા સુમન અર્પિત કરવામાં આવેલ મૂળ ઝારખંડના વતની એવા અન્નપૂર્ણા દેવિજી દ્વારા પોતાના પુત્ર અજય કુમાર ચૌધરીને સારા ચિત્રકાર બનાવવા માટે નાનપણથી સંસ્‍કાર સિંચન અને પ્રેરણા આપેલ જે પાછળથી દીપ શિખજી દ્વારા આગળ વધરાયેલ. પુત્રના ચિત્રો વિશ્વની આર્ટ ગેલેરી સુધી પોહચ્‍યાના સંતોષ સાથે લાંબી બીમારી બાદ સંતોષ સાથે આખો મીચી હતી.

 

(11:34 am IST)