વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો માત્ર 1 કેસ નોંધાયો
અનેક જાહેર સ્થળો નિયમો મુજબ ખુલ્લા મુકાયા છતાં કોરોના કેસમાં વધારો થયો નથી.
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં આશ્ર્ચર્યજનક રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસના સરકારી આંકડા મુજબ 4 દિવસ દરમ્યાન જિલ્લામાં માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 1234 કેસ નોંધાઇ ચૂક્યા છે
વલસાડ જિલ્લામાં અનલોક દરમિયાન અનેક જાહેર સ્થળો કોવિડ 19 ના નિયમો મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમ છતાં કોરોના કેસમાં વધારો થયો નથી.
વલસાડ જિલ્લામાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યા છેલ્લા 4 દિવસમાં માત્ર એક કોરોના કેસ નોંધાયો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને પગલે જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તારીખ 16 નવેમ્બર ના રોજ ઝીરો કેસ,તારીખ 17 નવેમ્બર ના રોજ ઝીરો કેસ તેમજ 3 લોકો ને રજા આપવામાં આવી,તારીખ 18 નવેમ્બર ના રોજ 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો જ્યારે 19 નવેમ્બર ના રોજ ઝીરો કેસ અને 3 લોકોને રજા આપવામાં આવી છે.