ગુજરાત
News of Friday, 20th November 2020

અમદાવાદ બાદ સુરતમાં પણ હવે રાત્રી કર્ફ્યૂની શકયતા: કોર કમિટીની મિટિંગમાં લેવાશે નિર્ણંય

કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવા અને ટેસ્ટિંગ કામગીરી માટે તંત્ર એલર્ટ

સુરત : રાજ્યમાં  દિવાળીના તહેવારો બાદ કોરોના વકર્યો છે. એમાંય અમદાવાદમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે હવે સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ મૂકવાની તૈયારીઓ થઈ રહી છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. સુરતને લઇને આજે કોર કમિટીમાં નિર્ણય લઇ શકાય છે. સુરત શહેરમાં પણ રાત્રી કરફ્યુ લગાવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. દિવાળી તહેવારોમાં નિયમોનું પાલન ન કરતા સંક્રમણ વધ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં પણ કકડ નિયમની અમલવારી કરાશે.

(1:11 pm IST)