ગુજરાત
News of Friday, 20th November 2020

રાજપીપળા માં લોકડાઉન ના ઘણા મહિનાઓ બાદ ખુલ્લા મુકાયેલા બગીચામાં લોકોની ભીડ કોરોના સંક્રમણ માટે જોખમી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પરિવાર સાથે વાર તહેવારે ફરવા લાયક માત્ર એકજ બગીચો છે અને એ પણ કોરોના લોકડાઉન માં 6 મહિના જેવો બંધ હોય ત્યારબાદ થોડા દિવસ પહેલાજ આ બગીચો ખુલ્લો મુકાયો હોવાથી આજે નવા વર્ષ ના પર્વ માં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.અંદર બગીચા માં ઉભેલી ખાણી પીણી ની લારીઓ પર પણ ભારે ભીડ હતી.જેમાં સૌથી વધુ નાના બાળકો ને રમવાની મજા પડી હતી.જોકે એકમાત્ર આ બગીચો લોકો માટે જમવા ફરવા માટે નું સ્થળ હોવાથી હંમેશા ભીડ વચ્ચે ઉભરાયેલો રહે છે ત્યારે હાલ કોરોના ના નિયમની એસી તૈસી કરી લોકો પોતાની મસ્તી માં મસ્ત જ ફરતા જોવા મળે છે.જે કોરોના કહેર વચ્ચે ગંભીર બાબત કહી શકાય

(11:51 pm IST)