વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઘરઘાટી મહિલાએ વૃદ્ધના ઘરમાંથી ચોરી કરી છૂમંતર.....
વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધે સેવા ચાકરી માટે હેલ્થકેર કંપની માધ્યમથી કેરટેકર માણસ રાખ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી રૂપિયા 3000ની કિંમત ધરાવતી માતાજીની મૂર્તિ, રૂપિયા 42 ની કિંમતના ચાંદીના બે સિક્કા તેમજ ચેકબુકની ચોરીનો બનાવ બનતા કેરટેકર વિરૂદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે નોકર ચોરીનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વિસ્ટરીયા બંગલોઝમાં રહેતા પાંડુરંગ શિરસાઠ 80 વર્ષની ઉંમર ધરાવતા હોય તબિયત નાજુક હતી જેથી 2 ઓક્ટોબરથી 16 ઓક્ટોમ્બર સુધી તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પથારીવશ હોવાના કારણે તેઓએ સેવાચાકરી માટે "એડવીનો હેલ્થ કેર "ના સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાંથી તેઓએ અનિલ પાટકર નામના વ્યક્તિને મોકલતા તેની વર્ણતૂક સારી ન જણાતા બીજી વ્યક્તિને મોકલવા જણાવ્યું હતું.