સુરતમાં દેવું વધી જતા પર્વત ગામની મહિલાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરત:દેવ થઈ જતા ટેન્શનમાં આવીને પર્વત ગામની મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જ્યારે બીજા બનાવમાં સચિનમાં શુક્રવારે સાંજે કોઈ કારણસર યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુંબઈ વિસ્તારના પર્વતગામ ખાતે સંતોષ નગરમાં રહેતા ૨૮ વર્ષીય કાંતિબેન રામુ કુશવાહ ગત તારીખ 19 મોડી રાત્રે થી ગઇકાલે વહેલી સવાર દરમિયાન ઘરમાં રસોડામાં પ્લેટફોર્મ ઉપર ચડી લોખંડના સળિયા સાથે સાડીનો છેડો ગળે ફાંસો ખાધો આપઘાત કર્યો હતો.
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે કાંતિબેનના બે વર્ષ પહેલા પહેલા પતિના મોત થયા બાદ રામુ સાથે રહેતા હતા તેમને બે સંતાન છે તે મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા જોકે વતનમાં દેવું થઈ જતાં તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.