News of Thursday, 10th June 2021
નર્મદા જિલ્લામાં બુધવારે ૦૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૮૧ પર પહોંચ્યો
નર્મદા જિલ્લામાં બુધવારે ૦૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૮૧ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકામાં ભદામ ૦૧, લાછરસ ૦૧ તથા ગરૂડેશ્વર તાલુકામાં મોટા આંબા ૦૧ કેસ સાથે જિલ્લામાં ૦૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દીઓ સારવાર હેઠળ નથી,કોવિડ કેર સેન્ટર માં ૦૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૫ દર્દી દાખલ છે. આજે ૦૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૨૧૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૮૧ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૧૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે
(10:29 pm IST)