ગુજરાત
News of Thursday, 10th June 2021

કલેકટરો-ડી.ડી.ઓ.અને જી.એ.એસ.કક્ષાના અધિકારીઓની બદલી તૂર્તમાં

૨૬ સિનીયર સનદી અધિકારીઓ બાદ હવે બીજા ઘાણવાની તૈયારી : સુરત, જામનગર, વલસાડ કલેકટર, રાજકોટ ડી.ડી.ઓ. વગેરે બદલાઈ રહ્યાના વાવડ

રાજકોટ, તા. ૧૦ :. રાજ્ય સરકારે ગઈકાલે સચિવ કક્ષાના ૨૬ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયા બાદ હવે કલેકટર, ડી.ડી.ઓ. કક્ષાના અધિકારીઓની બદલીનો બીજો ઘાણવો તૈયાર હોવાનુ અને એકદમ ટૂંક સમયમાં નિકળનાર હોવાનું જાણવા મળે છે. ત્યાર બાદ તુરત જી.એ.એસ. કેડરમાં અધિક કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી થશે.

ગઈકાલની બદલીથી જામનગર મ્યુ. કમિશનર, વડોદરા અને મહેસાણા કલેકટરની જગ્યા ખાલી પડી છે ત્યાં નવી નિમણૂંક થશે. ઉપરાંત સુરતના કલેકટર ધવલ પટેલ, જામનગર રવિશંકર, વલસાડના આર.આર. રાવલ, રાજકોટના ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, અમદાવાદના અરૂણ મહેશ બાબુ વગેરેની બદલી નિશ્ચિત હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે. સુરેન્દ્રનગર કલેકટર કે. રાજેષ, મોરબીના જે.બી. પટેલ, સોમનાથના અજય પ્રકાશ વગેરેની બદલીની શકયતા નકારાતી નથી.

(4:11 pm IST)