અગ્નિપથ યોજના અમલમાં મૂકીને ભાજપ સરકાર દેશના જવાનોનું અપમાન કરી રહી છે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જાઇન્ટ સેક્રેટરીનું ગંભીર મુદ્દા પર મીડિયાને સંબોધન
રાજકોટ તા.૨૧ : આમ આદમી પાર્ટીના નેશનલ જાઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી ઍ ઍક ગઁભીર મુદ્દા પર મીડિયાને સઁબોધિત કરતા કહ્નાઁ કે, કેન્દ્રની ભાજપ સરકાર ‘અગ્નિપથ’ નામની યોજના અમલમાઁ મૂકી છે જે દેશના યુવાનોને બિલકુલ પસઁદ આવી નથી. અગાઉ, તમને યાદ હશે કે ખેડૂતો માટે ત્રણ કૃષિ કાયદાઓ લાવવામાઁ આવ્યા હતા અને આ કૃષિ કાયદાઓ પણ ખેડૂતોને યોગ્ય લાગતા ન હતા, તેમ છતાઁ કેન્દ્ર સરકાર આ કૃષિ કાયદાના લાભની ગણતરી કરાવામાઁ વ્યસ્ત હતી. ખેડૂતોઍ ઍક વર્ષથી વધુ સમય સુધી તે કૃષિ કાયદાનો વિરોધ કર્યો અને ૭૦૦ ખેડૂતોઍ જીવ ગુમાવ્યા, ત્યારબાદ કેન્દ્ર સરકારે તે કાયદો પાછો ખેઁચવાનો નિર્ણય કર્યો. આજે મારે પૂછવુઁ છે કે ઍ ૭૦૦ નિર્દોષ ખેડૂતોના મોત માટે કોણ જવાબદાર છે? તેમના પરિવારજનોને કોઈ સહાય આપવામાઁ આવી નથી.
આજે ભાજપ ઍ જ રીતે અગ્નિપથ નામની યોજના લાવી છે. આ યોજનાથી સ્પષ્ટ છે કે ભાજપ ‘જય જવાન જય કિસાન’ના નારાની વિરુદ્ઘ સઁપૂર્ણ રીતે કામ કરી રહ્નાઁ છે. આ યોજના હેઠળ યુવાનોને માત્ર ૪ વર્ષ માટે સેનામાઁ નોકરી આપવામાઁ આવે છે અને પછી તેમને નિવૃત્ત્। કરી દેવામાઁ આવશે. અમને ઘણી જગ્યાઍથી વિરોધ કરી રહેલા યુવકોના મોતની માહિતી મળી રહી છે. આ યુવાનોના મોત માટે જવાબદાર કોણ?
અમે ક્યારેય હિઁસાનુઁ સમર્થન કરતા નથી પરઁતુ યુવાનોને વિરોધ ના કરવા દેવા અને તેમના પર લાઠીચાર્જ ઍ કેવુઁ વર્તન? અમે જાણવા માઁગીઍ છીઍ કે શુઁ ભાજપના નેતા, લોકો માટે કાયદો લાવે છે કે લોકો વિરૂદ્ઘ કાયદો લાવે છે?
આપણા દેશમાઁ સાઁસદો અને ધારાસભ્યોને પેન્શનના નામે ઍક મસમોટી રકમ આપવામાઁ આવે છે અને બીજી તરફ પેન્શન વિના માત્ર ૪ વર્ષ સુધી પોતાનો જીવ દાવ પર લગાવનાર સૈનિકોને નોકરી આપવાની યોજના સરકાર લાવી છે. ભાજપ દ્વારા આ આપણા દેશના જવાનોનુઁ અપમાન છે. પહેલા ભાજપે ખેડૂતોનુઁ અપમાન કર્યુઁ, હવે દેશના જવાનોનુઁ અપમાન કરી રહ્નાઁ છે.
ઈસુદાન ગઢવી ઍ આગળ કહ્નાઁ કે, મારી કેન્દ્ર સરકારને વિનઁતી છે કે, કાયદા ગણાવા ની જગ્યા ઍ, અકડતા દાખવાની જગ્યા ઍ, અગ્નિપથ નો કાનૂન પાછો લો. અથવા તો દેશના દરેક ધારાસભ્ય; ઍમાઁ આમ આદમી પાર્ટી પણ આવી જાય. ઍમ દરેક પાર્ટીના દરેક ધારાસભ્ય ના દીકરાઓ અગ્નિવીર રૂપે સેનામાઁ ભરતી થાય ઍવો કાનૂન પાસ કરો. અમે પોતે સ્વીકારીઍ છીઍ અને શરૂઆત ભાજપના નેતાઓના દીકરાઓ થી કરો, જે આ કાનૂન લાવ્યા છે. આ કહેવાનો ઍક જ અર્થ છે કે જા તમને યોજના ઍટલી જ સારી લાગતી હોય, યોગ્ય લાગતી હોય તો તમારા થી જ શરૂઆત કરો, દેશના યુવાનો અને જવાનોની ભાવનાઓનુઁ અપમાન ના કરશો.
દેશના યુવાનો જે દેશ માટે શહીદ થવા તૈયાર છે તેને તમે ફક્ત ૪ વર્ષ સેનામાઁ ભરતી કરશો અને પછી કરોડો રૂપિયાના ભ્ર્ષ્ટાચાર થી બનેલા કમલમ માઁ અગ્નિવીરો ને તમે સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવા માઁગો છો તે સપનુઁ આ ગુજરાતનો યુવાન, આ દેશનો યુવાન ક્યારેય સાકાર નઈ થવા દે. હુઁ દરેક યુવાનને વિનઁતી કરુઁ છુઁ કે હવે જાગવાનો સમય થઇ ગયો છે. ભાજપ નો અસલી ચહેરો હવે દેશના સમક્ષ છે. દેશના યુવાનો નુઁ ભવિષ્ય ખતમ કરવા આ ભાજપ પાર્ટી ઉભી થઇ છે અને આ યોજના તેનુઁ ઉદાહરણ છે. આ સમસ્યા નો ઍકમાત્ર ઈલાજ ઍ જ છે કે ભાજપ ને ગુજરાત માઁથી કાઢો, દેશમાઁથી કાઢો. ચૂઁટણી આવશે ત્યાઁ સુધી તમે મજબૂતાઈથી રહેશો તો ભાજપ આ કાયદો તરત પાછો પણ લઇ લેશે, પણ જા તમે ભાજપની વાતોમાઁ આવી ગયા તો અમને ખાતરી છે કે આનાથી પણ ખરાબ કાનૂન આગામી સમયમાઁ લાવશે.