ગુજરાત
News of Wednesday, 21st July 2021

વડોદરામાં વારંવાર ઝઘડો કરી પિયરમાં જતી રહેલ પત્નીના ત્રાસથી કંટાળી 38 વર્ષીય યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

વડોદરા : વારંવાર ઝઘડો કરીને પિયરમાં જતી રહેતી પત્નીના ત્રાસથી કંટાળીને ૩૮ વર્ષના યુવાને રાતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પતિએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમચિઠ્ઠી પોલસે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તાંદલજા સોદાગર પાર્કમાં રહેતા વસીમખાન ઇકબાલખાન પઠાણને ગઇકાલે સાંજે પત્ની સાથે તકરાર થતા પત્ની પિયર જતી રહી હતી.ત્યારબાદ રાતે ત્રણ પુત્રીઓને રૃમમાં સુવડાવીને વસીમખાનેે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતુ.જે અંગે જે.પી.રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં અંતિમચિઠ્ઠી મળી આવી હતી.

૧૫ વર્ષના લગ્નજીવન દરમિયાન  કંટાળીને આપઘાત કરતા પહેલા યુવાને અંતિમચિઠ્ઠી લખી હતી.જે ચિઠ્ઠી પોલીસે કબજે લીધી છે.વસીમે લખ્યું  હતું કે,મારી પત્ની રેશમા,સાસુ જેતુન  અને સસરા સિકંદર પર આક્ષેપ કર્યો છે.તેણે લખ્યું છે કે,યે તીન લોગોને મિલકર મેરે બચ્ચો કો અનાથ બનાયે હે. યે તીન  લોગને મિલકર મેરી જિંદગી બરબાદ કર દી હે.મેને રેશમા સે લવમેરેજ કીયા થા.પંદર  સાલો મે જાને કિતની બાર મેરે તીન બચ્ચો  કો છોડ કર અપને મા બાપ કે યહા ચલી જાતી થી.ઔર આજ ભી ઇસી તરહ વો અપને મા બાપ કે કહને  પર વાપસ ચલી ગઈ.જો ઔરત કે લીયે મૈંને અપને પૂરે ખાનદાન કો છોડા.આજ વો હી ઔરત મુજે ઔર મેરે બચ્ચો કો બારબાર છોડકર ચલી જાતી હે.ઉન તીનોને મિલકર મુજે યે કદમ અપનાને પર મજબૂર કીયા હે.મે નહી ચાહતા કે મેરે બચ્ચે મેેરે સસુરાલ વાલે કો ના સોંપે.મેરે બચ્ચે મેરે ભાઇ કો સોંપ દેના વો અચ્છે સે ખ્યાલ રખેંગે. 

(5:08 pm IST)