વડોદરાના સિદ્ધનાથ રોડ નજીક રહસ્યમય સંજોગોમાં પ્રૌઢે આપઘાત કરી લેતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
વડોદરા : શહેરના સિદ્ધનાથ રોડ પર રહેતા ૪૭ વર્ષના પ્રૌઢે ગત રાતે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો.સવારે તેમનો પાંચ વર્ષનો પુત્ર ઉઠયો ત્યારે રૃમનો દરવાજો બહારથી બંધ હતો.પાડોશીઓને બોલાવી દરવાજો ખોલાવતા આપઘાતના બનાવની જાણ થઇ હતી.નવાપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,નવાપુરા સિદ્ધનાથ રોડ પર રહેતા હાર્દિક હર્ષદભાઇ પાઠક સોલર પેનલનું કામ કરે છે.ગત રાતે તેના પિતા અને પાંચ વર્ષનો પુત્ર બેડરૃમમાં સુઇ ગયા હતા.જ્યારે હાર્દિક બહારના રૃમમાં સુઇ ગયો હતો.સવારે તેમનો પુત્ર ઉઠયો ત્યારે રૃમનો દરવાજો બહારથી બંધ હતો.નાના પુત્રએ દાદાને ઉઠાડયા હતા.તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓએ આવીને દરવાજો ખોલ્યો હતો.અને બીજો રૃમ પણ બંધ હતો.જયાં હાર્દિક સુઇ ગયો હતો.તે રૃમ ખોલ્યો તો હાર્દિકે પંખા પર ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હોવાની જાણ થઇ હતી.બનાવ અંગે નવાપુરા પોલીસન ેજાણ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,બે વર્ષ પહેલા જ હાર્દિકના છૂટાછેડા થયા હતા.પરંતુ,તેના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી.