બારોડોલી પરણાવેલી પરિણીતાને દહેજ બાબતે ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની બારડોલી ખાતે પરણાવેલી પરણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ વિરૂદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ સુરૈયાબાનુ ઇમિત્યાઝખાન પઠાણની પુત્રી અને મુદતસરખાન મનોવરખાન પઠાણ ની પત્ની,રહે.સિંધી વાડ દક્ષીણ ફળીયુ રાજપીપળા ની ફરિયાદ મુજબ તેમને ત્રાસ આપનાર સાસરિયાઓમાં પતિ મુદતસરખાન મનવરખાન પઠાણ (૨) સાસુ સમીમબાનુ મનોવરખાન પઠાણ (૩) દિયર મુંન્તઝીરખાન મનવરખાન પઠાણ (૪)દિયર મોહસીનખાન મનોવરખાન પઠાણ (૫) દેરાણી ફોઝીયા બાનુ મુંન્તઝીરખાન પઠાણ (૬) દેરાણી ઉઝમાબાનુ મોહસીનખાન પઠાણ (તમામ રહે-ઘરનં-૩૯, મુ.મનપસંદ સોસાયટી, બાબેન, બારડોલી,જી.સુરત )નાઓ ઘરના કામકાજ બાબતે પતિને ખોટી ચઢામણી કરતા પતિ દારૂ પીને સુરેયાબનું સાથે વાંક ગુના વગર મારઝુડ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દહેજની માંગણીઓ કરી ઘરમાંથી કાઢીમુકી શારિરીક માનસીક ત્રાસ આપતા હોય સુરૈયાબાનુની ફરિયાદના આધારે મહિલા પોલીસે તમામ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે.