સુરતના સચિન વિસ્તારમાં નાપાસ થવાથી માનસિક તાણ અનુભવતી તરુણીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર
સુરત: શહેરનાસચિનમાં સોમવારે સાંજે ધોરણ 10માં ફરી નપાસ થવાથી સતત માનસિક તાણ અનુભવતી હોવાથી 17 વર્ષની તરૂણીને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલની મળેલી વિગત મુજબ સચિનના ઓમ સાઈ પાર્કમાં રહેતી 17 વર્ષીય નિધિ અમરનાથ પ્રજાપતિ સોમવારે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ ગઈ હતી. ત્યારે તેના પરિવારના સભ્ય નજર પડતા તેને નીચે ઉતારી તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં ડૉક્ટરે તેને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે નિધિ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરની વતની હતી. જોકે તે ધોરણ 10ની પરીક્ષામાં ફરી નપાસ થતા સતત નાસીપાસ થઇ ગઇ હતી. જેના લીધે તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેને એક ભાઈ અને બહેન છે આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.