News of Wednesday, 21st September 2022
વડોદરાની સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
ઝી ન્યૂઝનો અહેવાલ જણાવે છે કે સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો અને બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આક્ષેપ લગાવ્યો છે. હાલ સાતેય કેદીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે જેમાં હર્ષિલ લીંબાચિયા, અભિ આનંદ ઝા, માજીદ ભાણ, સલમાનખાન પઠાણ, સાજીદ અક્બર કુરેશી, સોહેબ કુરેશી, આકાશ વાડકે સામેલ છે.
(9:29 pm IST)