ગુજરાત
News of Saturday, 21st November 2020

કોરોના સંકટમાં રેલીઓમાં નેતાઓ બિન્દાસ : આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ યોજી: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા: જનતા માટે ગાઇડલાઇન પણ નેતાઓને છૂટ્ટો દોર ? :

કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. ધારાસભ્ય આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એટલું જ નહીં પણ સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ યોજી હતી

સન્માન રેલીમાં આવેલા લોકોમાં કેટલાક માસ્ક વિના નજરે પડ્યા એટલું જ નહીં પરંતુ સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો જવાબદાર કોણ? જનતાને બધા નિયમો લાગુ પડે છે, નેતાઓને છૂટ્ટો દોર કેમ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે અલબત્ત નેતાઓ બિન્દાસ છે અને કાર્યકરો વ્હાલા થવામાં મસ્ત છે

(12:48 pm IST)