ગુજરાત
News of Friday, 22nd January 2021

ભરૂચ કલેકટર કચેરી ખાતે ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પાબંધી ફરમાવાઈ

ભરૂચ :કોરોનાના મહામારી વચ્ચે પણ ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્રો આપવા તથા અન્ય રજુઆતો માટે અરજદારો ઉમટી પડતાં હોય છે. કલેકટર કચેરી ખાતે ભીડ એકત્ર થતી રોકવા માટે ચારથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે કલેકટર કચેરીમાં વધુ પ્રમાણમાં લોકોને ભેગા ન થવા તેમજ રેલી સરઘસ બંધી ફરમાવાઈ છે 

(9:24 am IST)