News of Friday, 22nd January 2021
સવર્ણ મહાસંઘ ફાઉન્ડેશનમાં નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે અમિતભાઇ વસાવાની નિમણુંક થતા આનંદની લાગણી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સવર્ણ મહાસંઘ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના અનુસાર ગજેન્દ્ર ત્રિપાઠી અને રાષ્ટ્રીય કન્વીનર ઠાકુર ઓમપ્રકાશ સિંઘ અને રાષ્ટ્રીય મહા મંત્રી(સંગઠન) કિરણપાલસિંહની સંમતિથી રાજપીપળા ટેકરા ફળિયાના અમિતભાઇ વસાવાની "સવર્ણ મહાસંઘ ફાઉન્ડેશન" માં નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા રાજપીપળા શહેર અને જિલ્લા માટે આ ગૌરવની વાત છે. અમિતભાઇ હંમેશાં સંગઠનના વિસ્તરણ અને સંગઠનના લાભ માટે સતત પ્રયત્નશીલ રહે તેવી આશા સાથે સંગઠન ના હોદ્દેદારો દ્વારા તેમને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
(1:02 am IST)