નડિયાદના ચકલાસીમાં અંગત અદાવતને લઈને મારમાર 11 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
નડિયાદ: તાલુકાના ચકલાસી ગામે રોહિત વાસમાં રહેતા એક જ સમાજના બે પરિવાર વચ્ચે અંગત અદાવતને લઈ ઝઘડો થયો હતો. ગતરોજ રાત્રે અપશબ્દો બોલતા મામલો બિચક્યો હતો. અને આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં પરિણમ્યો હતો. બન્ને પક્ષના લોકો મારક હથિયારો સાથે ધસી આવી એકબીજા ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ચકલાસી પોલીસ મથકે બે સામસામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે. જેમાં ઉમેશ રોહિતની ફરિયાદમાં બાબુ રોહિત, ગૌતમ રોહિત, જયંતિ રોહિત, અશોક રોહિત, જીગ્નેશ રોહિત, જયેશ રોહિત, હરીશ રોહિત, અશોક રોહિત, રાકેશ રોહિત, કિરણ રોહિત અને ચન્દ્રકાંત રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે ગૌતમ રોહિતની ફરિયાદમાં રમેશ રોહિત, ઉમેશ રોહિત, પશા રોહિત, કમલેશ રોહિત, મનોજ રોહિત, અજય રોહિત, દીસ્તીક રોહિત, લખીબેન રોહિત અને વર્ષાબેન રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.