વડોદરાના કરજણ નગરમાં પરણિત પરિણીતાને મળવા ગયેલ પ્રેમી યુવાનનું ભેદી સંજોગોમાં મોત નિપજતા પ્રેમિકાના પતિ,ભાઈ સહીત અન્ય ચાર શખ્સોની ધરપકડ
વડોદરા: શહેરના કરજણ નગરમાં ૨૬ વર્ષના યુવાનની સનસનાટીભરી હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. પરિણીત પ્રેમિકાને રાત્રે મળવા માટે ગયેલા યુવાનને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને ઢાઢર નદીમાં ફેંકી દેવાઈ હતી હત્યાના આ ગુનામાં પ્રેમિકાના પતિ, ભાઈ સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના પીંગલવાડા ગામે રહેતા કાનજીભાઈ નારણભાઈ રોહિતનો એકમાત્ર પુત્ર યતીન (ઉ. વ. ૨૬) અપરણિત હતો. તે એબીબી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તા.૧૯ના રોજ નોકરી પર ગયા બાદ બીજા દિવસે સવારે પણ યતીન ઘરે નહીં આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કાનજીભાઇના સંબંધીઓએ કરજણમાં તપાસ કરતા એવી વિગત જાણવા મળી હતી કે યતીનને કરજણ નવાબજાર વિસ્તારમાં સોનાનગર ખાતે રહેતી એક બાળકીની માતા મિત્તલ સાથે પ્રેમ સંબંધ હતા તારીખ ૧૯ ની રાત્રે યતીન તેની પ્રેમિકા મિત્તલને મળવા માટે તેના ઘરે ગયો હતો ત્યારે મિત્તલનો ભાઈ સતીશ વિનોદ વસાવા (રહે. કુરાઈ ગામ, કરજન) તેમજ મિત્તલનો પતિ દેવેન્દ્ર દિલીપ વસાવા (રહે.પિંગલવાડા તા.કરજણ), મિત્તલનો દિયર અતુલ ધનજી વસાવા (રહે.પિંગલવાડા તા.કરજણ) અને સતીશનો મિત્ર દીપક ઉદેશીંગ વસાવા (રહે.ખાંધા તા.કરજણ) ચારે જણા સોનાનગર પહોંચી ગયા હતા.