નર્મદા જિલ્લામાં ગુરુવારે ૪૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૮૫૦ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં કસ્બાવાડ ૦૧, માલીવાડ ૦૧, લુહારચાલ ૦૧, હાઉસિંગ બોર્ડ ૦૧, ચંદ્રવિલા ૦૧, રણછોડરાય મંદિર ૦૧ તથા નાદોદના ઓરી ૦૨, નમાલગઢ ૦૧, રામગઢ ૦૧, ગુવાર ૦૧, નાવરા ૦૧,વાવડી ૦૧, પાટણા ૦૧, થરી ૦૧ તથા ગરુડેશ્વર ના કોઠી ૦૧, કલીમકવાણા ૦૧, નવા વાઘપુરા ૦૧, ટીમરવા ૦૧, ખડગદા ૦૧, કેવડિયા ૦૨, ગરુડેશ્વર ૦૧ તથા તીલકવાડાના રેંગણ ૦૧, બુજેઠા ૦૧, માયજીપુરા ૦૧ તથા ડેડીયાપાડા ના નાની બેડવાણ ૦૧, ગંગાપુર ૦૧, ચિકદા ૦૧,આલમાવાડી ૦૧, ખૈડીપાડા ૦૧, કુંનબાર ૦૧, ઝરણાવાડી ૦૧ તથા સાગબારાના રાણીપુર ૦૧, સાગબારા ૦૧, સજવાવ ૦૧, પાટ ૦૧, જાવલી ૦૧, હોલગામ ૦૧, સેલંબા ૦૨, ઉભારીયા ૦૧, ભોરઆમલી ૦૧, દેવસાકી ૦૧, ટાવલીફલી ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૫ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૨૯ દર્દી દાખલ છે, આજે ૨૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૫૮૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૮૫૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૨૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે