News of Tuesday, 22nd June 2021
નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૧ કોરોના પોઝિટિવ દર્દી જોવા મળતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં દેડિયાપાડા તાલુકામાં સોલિયા ૦૧ કેસ સાથે જિલ્લામાં ૦૧ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૧ દર્દી સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૨ દર્દી દાખલ છે. આજે ૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લામાં કુલ ૪૨૩૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૮૭ પર પહોચ્યો છે.આજે વધુ ૯૭૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(9:58 pm IST)