વડોદરાના દંતેશ્વરમાં જુના ઝઘડાની અદાવત રાખી બે મિત્રો સહીત દંપતીઓ વચ્ચે લાકડીઓ ઉછળી
વડોદરા: શહેરનાદંતેશ્વર વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખી બે મિત્રો અને દંપતી વચ્ચે ઝઘડો થતા લાકડીઓ ઉછળી હતી.
દંતેશ્વરમાં હાઉસિંગના મકાનમાં રહેતા દિપક ગણપત જાદવે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારી પત્ની કની રાત્રે ઘર પાસે ઉભા હતા ત્યારે આયેશ ગોપાલ પઢિયાર (રહે.રાઘવનગર, દંતેશ્વર) અને મયુર ભોગીલાલ રોહીત (રહે.કમલાનગર, તરસાલી)એ આવીને મારી મજાક ઉડાવવાનું શરૃ કર્યું હતું. તેં બીજું લગ્ન કર્યું છે, બીજી પત્ની લાવ્યો છે તેમ કહી બંને ઉશ્કેરતા હતા જેથી તેમ નહી કરવાનુ ંકહેતા બંનેએ લાકડાના ડંડાથી મને તેમજ પત્નીને માર માર્યો હતો. આ વખતે લોકો ભેગા થઇ જતા બંને હુમલાખોરો તમે મકાનમાંથી બહાર નીકળો, બંનેને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
સામા પક્ષે મયુર ભોગીલાલ પરમારે દિપક અને તેની પત્ની કની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા મિત્ર આયેશ સાથે હાઉસિંગના મકાન પાસેથી પસાર થતો હતો ત્યારે દિપક અને કનીએ જૂના ઝઘડાની અદાવત રાખી તમે અહીં કેમ આવ્યા? તમારે મારા ઘરની આસપાસ પણ ફરકવાનું નહી તેમ કહી બંનેએ માર મારવાનું શરૃ કર્યું હતું. લોકો ભેગા થઇ જતા તમે બચી શકશો નહી, ગમે ત્યાં મળશો બંનેને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. મકરપુરા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.