ગુજરાત
News of Saturday, 23rd January 2021

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

125 મી જન્મ જયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાઈ જેમાં નહેરુ યુવા કેન્દ્ર યુવક મંડળ, મહિલા મંડળ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુભાસચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ હોય જેમાં નહેરુ યુવા કેન્દ્ર,નર્મદા દ્વારા પણ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં માં ઉજવણી પરાક્રમ દિવસ તરીકે કરાઈ હતી.આ પ્રસંગે આપણા શહીદોને યાદ કરી તેમની કુરબાની યાદ કરી દેશની અખંડીતતા જળવાઈ રહે એવા શપથ પણ લેવામાં આવ્યા હતા .આમ નહેરુ યુવા કેન્દ્ર,નર્મદા યુવક મંડળ,મહિલા મંડળના સદસ્યો અને શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(11:02 pm IST)